રવિવાર, 12 મે, 2013

   ઘણાયે અનોખી સજાવટ   છે, અને ખુદ સાથે બનાવટ કરે છે :
નથી લઇ જવાનું કઈ પણ અહી થી, છતાં એ જગત માં જમાવટ કરે  છે
સરળ હોય તોયે નથી  કામ કરતા, મળે લાંચ ત્યારે ફટાફટ કરે  છે,
 નથી જાણતા ધર્મ વિશે જે કક્કો, ને છતાં ધર્મ ની તે છણાવટ કરે છે

આ જગત માં માનવી જો કોઈ ના થી પીડાતો હોય તો તે પોતાની સંકુચિત સ્વાર્થ વૃતિ જ પીડાય છે .    સમાજ નો દરેક નાગરિક જાણે છે કે ભારત ના નાના માં નાના પ્રાંત ના વિકાસ  માટે ની મોટી મોટી વાર્તાઓ કરનારા પ્રતિનિધિઓ ના મન , મસ્તિષ્ક અને બુદ્ધિ માં માત્ર સામાન્ય જનતા ને  છેતરવા ને લુંટવા નો માસ્ટર પ્લાન ચાલતો હોય છે।કોઈ રાજકારણી election માં જીતવા માટે જો તમારી શેરી ,  ફળિયા માં જો જો મફત માં તમને નાસ્તો, કપડાં વગેરે આપે તો એ તમારી આવનારી પેઢી ના શિક્ષણ, રોજગાર, સલામતી અને સામાન્ય સુવિધાઓનો સોદો કરે છે।  એક સરપંચ જો તેને મળનારા નજીવા પગાર માટે શા માટે એટલો મોટો ખર્ચ કરે ?  પોતાના બાળકો નો વિચાર કરો, પોતાના પ્રદેશ ના પ્રતિનિધિ ને પસંદ  કરવા માં  ક્યારેય સગાવાદ કે સંબંધ ના બંધન માં ખેચાશો નહિ, તમે પસંદ કરેલા પ્રતિનિધિ થી જ તમારા બાળકો નું ભવિષ્ય ઉજ્જવળ બનશે। જય  ભારત જય ગુજરાત .

શનિવાર, 11 મે, 2013

New date for the case of fixation related in supreme court is declared. It is date 4th july 2013.